શા માટે આપણે સમયનું આયોજન કરવું જોઈએ ?
1. કામ વિશે સ્પષ્ટ થવાની આદત વધે એ માટે. 2. પસાર થતાં સમય વિશે સભાન થવાય એ માટે. 3. તમારું કાર્ય વિલંબાય નહિ એ માટે. 4. ધાર્યું પરિણામ મેળવી શકાય એ માટે. 5. યાદશક્તિ વધારવા માટે. 6. જીવનમાં એક રિધમ કેળવાય એ માટે. 7. શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે. 8. ઘર એ ઘર અને ઓફિસ એ ઓફિસ રહી શકે એ માટે. 9. આજુબાજુના સૌ તમારી પ્રશંસા કરે ને તમારી લોકપ્રિયતા વધે એ માટે. 10. ભૂલો ઓછી થાય એ માટે. 11. મક્કમ નિર્ણયશક્તિ ખીલે એ માટે. 12. સફળતમ વ્યક્તિ તરીકેની છાપ ઉપસે એ માટે. 13. સમયનો મહત્તમ ઉપયોગ આપણાથી થઈ શક્યો છે એવી માનસિક શાંતિ માટે.
(જનક નાયકના પુસ્તક ‘સમયનું શ્રેષ્ઠ આયોજન’માંથી)
TIME IS MONEY