જીવનવિકાસ ગ્રંથાવલિ

safal3.jpg

સફળ થવું અઘરું નથી

આવો, સફળતાનો રસ્તો બનાવવાની શરૂઆત કરીએ… તમે ઈચ્છો તો જ્વલંત સફળતા મેળવી શકો છો. આ પુસ્તકમાં સફળતા મેળવવા માટેની અનેક તરકીબો બતાવાઈ છે. નિષ્ફળતાનાં કારણો, નિષ્ફળતાને પચાવો, નકારાત્મક વિચારો પર કાબુ મેળવો, દિવાસ્વપ્નથી બચો, ઈચ્છાઓને સાકાર કેવી રીતે કરશો, આત્મવિશ્વાસ કેવી રીતે વધારશો, લક્ષ્યની પસંદગી કેવી રીતે કરશો, કામનું આયોજન કેવી રીતે કરશો, લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચશો, ત્વરિત નિર્ણય લો, નેતા બનો, નેતૃત્વ નિષ્ફળ જવાનાં કારણો, સફળતા માટે શુ જોઈએ ? વગેરે અનેક બાબતોની ઉદાહરણો સાથેની માહિતી. તમારા મનના બન્ધ દરવાજાને ખોલી કલ્પનાની અનેક્ ક્ષિતિજો વિક્સાવતું ચિંતનાત્મક પુસ્તક. કિંમત : રૂ. 50 આવ્રુત્તિ છઠ્ઠી 

divas1.jpg

તમે અને તમારો આખો દિવસ

તમે ઈચ્છો તો આખો દિવસ સુખ અને સફળતાથી પસાર કરી શકો છો. સુખી દિવસ માટેનું આયોજન કેવી રીતે કરશો ? દરરોજ 30 મિનિટનો વ્યાયામ, આનન્દી સવારનું આયોજન કેવી રીતે કરશો ? ઓફિસ સમયનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરશો ? ઓફિસમાં પહોંચો ત્યારે ને ઓફિસેથી નીકળતા પહેલાં શું કરવું જોઈએ ? સ્ત્રીએ બપોરના સમયમાં શુ કરવું જોઈએ ? ઘરને ઘર કેવી રીતે રાખશો ? સુખી સાંજનું આયોજન કેવી રીતે કરશો ? રાત્રે સૂતી વખતે શું કરશો ? આખો દિવસ ટેનશનથી મુકત કેવી રીતે રહેશો ? વગેરે અનેક ઉદાહરણ સહિત માહિતી. ઘાણીના બળદની જેમ સતત ટેન્શનમાં ગોળગોળ ફરી પસાર થતા દિવસને બદલી સુખી દિવસના આયોજનની તરકીબો બતાવતું ચિંતનાત્મક પુસ્તક. સુખ, શાંતિ અને સફળતાથી આખો દિવસ પસાર કરવા માટેની ચાવીઓ સમજાવતું અનેક ચિત્રો સાથેનું ડીલક્ષ પુસ્તક. કિંમત : રૂ. 50 આવ્રુત્તિ છઠ્ઠી

chintachhodo.jpg

ચિંતા છોડો, નિરાંતે ઊંઘો

આવો, આપણે ચિંતાની ઊધઈને દૂર કરીએ. તમે ઈચ્છો તો, આરામની જિન્દગી જીવી શકો છો. અનેક પ્રકારની બીક, બીકના હુમલાને રોકવાની તરકીબો, ટેંશનમુક્તિ માટેના ઉપાયો, નર્વસ બ્રેકડાઉન, તેનાં કારણો, તેની શરીર પર થતી ગંભીર અસરોનર્વસ બ્રેક ડાઉનથી બચવાના ઉપાયો, તમારી આર્થિક ચિંતા કઈ રીતે દૂર કરશો ? બજેટ કઈ રીતે બનવાશો ? તમારા કુટુમ્બની ચિંતા કઈ રીતે દૂર કરશો ? સુખી દામ્પત્યજીવનની ચાવીઓ, તમારા ધંધાની ચિંતા કેવી રીતે દૂર કરશો ? આનન્દાયક ઊંઘ માટે શું કરશો ? મનને મજબૂત કરવાની તરકીબો વગેરે અનેક બાબતોની ઉદાહરણ સહિતની માહિતી આ પુસ્તકમાં અપાઈ છે. અનેક પ્રકારની ચિંતાથી ઊખડી ગયેલા મનની દીવાલ પરના પ્લાસ્ટરને સરખું કરી સુખી જીવન તરફ લઈ જતું ચિંતનાત્મક પુસ્તક. દરેક મિનિટે તમારા પર થતા નિરાશાના હુમલા તમારુ આયુષ્ય ઘટાડે છે. ચિંતા, નર્વસ બ્રેકડાઉનથી બચવાના અનેક ઉપાયો આ પુસ્તકમાં છે. કિંમત : રૂ. 50 આવ્રુત્તિ છઠ્ઠી 

6 Responses to “જીવનવિકાસ ગ્રંથાવલિ”

  1. bhargav Says:

    Janak Naik’s books are very fine n interesting.

  2. jjugalkishor Says:

    પુસ્તકોને ઓળખાવવાનો પ્રશસ્ય પ્રયોગ.

    આ પ્રયોગને આગળ વધારવા જેવો છે. મહેન્દ્ર મેઘાણીએ વર્ષો સુધી જે પરમ કાર્ય કર્યું તેને આ પ્રયોગથી નેટ ઉપર પણ બળ મળશે. આવાં અન્ય પુસ્તકો પણ ઓળખાવો એવી આશા.

  3. Uttam Gajjar Says:

    વહાલા જનકભાઈ,
    લાંબા સમયથી તમારી વેબસાઈટની અમે રાહ જોતાં હતાં.. તમારું હાર્દીક સ્વાગત છે.. આદરણીય નાનુબાપા અને તમારા દ્વારા ‘પુસ્તકજગત’ અને ‘સાહીત્યજગત’ની જે સેવા થઈ રહી છે, આખું સપ્તાહ જે સાહીત્યીક કાર્યક્રમો થઈ રહ્યા છે તે સુરતની જ નહીં; ગુજરાતની મોટી ઘટના છે.. અમારા ખુબ અભીનંદન આપ બન્ને બાપ–દીકરાને..
    મારા મીત્રોને આ લીંક મોકલું છું.. અમારી સઘળી શુભેચ્છાઓ..
    ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

  4. મગજના ડોક્ટર Says:

    KEEP IMPLIMENTING AND SEE WHAT RESULTS FROM THIS.

    http://www.bpaindia.org

    http://www.yogaeast.net

  5. Sagar Says:

    Motakaka,

    Today I got chance to go through your website in detail. You have put lot of time in preparing the site which is quite evident from the site.

    Your explanation regarding different books is awesome and it ignites people to read those books.

    I will also have to learn form you these skills so that I can also market myself in my field.

    Marvelous work…

  6. HANISH GANDHI Says:

    GOOD EFFORTS FOR GUJARATI,

    REALLLY USEFUL FOR TODAY’S GUJARTI’S ENGLISH FAMILY.

    JANKABHAI, KEEP IT UP.

    JAISHREE KRISHNA

Leave a Reply